Anavil Bhavan Activity
Activity Name Date
Test 11-02-2025

માનનીય સભાસદ ભાઈઓ / બહેનો
શ્રી અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરા.

તા. 3 મે, 2026, સમૂહજનોઈ બાબત.

સહર્ષ જણાવવાનું કે, 3 મે, 26ના રોજ અનાવિલ પ્રગતિ મંડળની મહિલા પાંખ દ્વારા સમૂહજનોઈનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. ઓછામાં ઓછા બે બટુકના નામ નોંધાશે તો જ કાર્યક્રમનું આયોજન શક્ય બનશે. હાલમાં એક બટુકનું નામ નોંધાયેલ છે જે સૌની જાણ માટે.
આ માટે બટુકના નામ વહેલી તકે ભવન પર નોંધાવશોજ એવી અપેક્ષા. કાર્યક્રમનો લાભ લેવા ઈચ્છુક બટુકના વાલીઓએ 30 માર્ચ 26 સુધીમાં નામ નોંધાવવા.
બટુકદીઠ વધુમાં વધુ 50 વ્યક્તિજ પ્રસંગમાં લાવવાના રહેશે.
ભવન પર બે બટુકના નામ નોંધાય એટલે તુરતજ વાલીઓને જણાવવામાં આવશે.
ત્યારબાદ બટુકદીઠ ₹ 5001/… ભવનની ઓફિસમાં જમા કરાવવાનું જણાવવામાં આવશે. અને બટુકના વાલીઓની સાથે 30 માર્ચ બાદ મિટિંગ કરીને આગળના કાર્યક્રમની રૂપરેખા જણાવવામાં આવશે. તેમજ 50 વ્યક્તિઓ માટે વ્યક્તિદીઠ નક્કી કરેલ નાણાં ભવનમાં જમા કરાવીને કુપન લેવાની રહેશે.
આપ સર્વના સહયોગની અપેક્ષા.

મહિલાપાંખ, અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરા.

Scroll to Top

સર્વે અનાવિલ સભ્યો,

આ સાથે જણાવવા નું કે તા: 08/07/2025 થી 12/07/2025 “અલૂણા ગૌરી વ્રત” છે.આ નિમિત્તે પ્રથમ દિવસે પ્રારંભિક પૂજા અને છેલ્લે દિવસે ઉત્થાન પૂજા નું આયોજન અનાવિલ ભવન ખાતે મહિલાપાંખ દ્વારા રાખવા માં આવેલ છ. તો જે પણ દિકરીઓ પૂજા માં આવવા માંગતા હોય એમણે અનાવિલ ભવન પર પોતાનું નામ નોંધાવવા વિનંતી છે.

પ્રથમ દિવસે તા:8/07/2025 પૂજા સમય સવારે 8.30 વાગ્યે.

છેલ્લા દિવસે તા:12/07/2025 ના પૂજા સમય બપોર ના 2.30 વાગ્યા નો રહેશે.

નામ નોંધાવવા ની છેલ્લી તારીખ 5/07/2025 રહેશે.

અનાવિલ ભવન ઓફિસ : 6351563139.

કન્વેનર, મહિલાપાંખ, અનાવિલ પ્રગતિ મંડળ, વડોદરા.